અમદાવાદમાં હિટલરના નામનો સ્ટોર શરૂ થતાં યહૂદીઓ નારાજ
તેમણે સ્ટોરના માલિક રાજેશ શાહને નામ ચેન્જ કરવા અપીલ કરી હતી. જોકે શાહે કહ્યું હતું કે તેમની બ્રૅન્ડનું નામ ચેન્જ કરવાનો ખર્ચ આપવામાં આવશે તો જ તેઓ એ ચેન્જ કરશે. શાહે એમ પણ કહ્યું હતું કે સ્ટોર ઓપન થયા પછી તેમને જાણ થઈ હતી કે જર્મનીનો સરમુખત્યાર હિટલર ૬૦ લાખથી વધુ લોકોનાં મોત માટે જવાબદાર છે. શાહનું કહેવું છે કે તેમના દાદા અત્યંત કડક હોવાથી લોકો તેમને હિટલર કહેતા હતા એથી તેમણે સ્ટોરનું નામ હિટલર રાખ્યું હતું. મુંબઈની ઇઝરાયલની એમ્બેસીએ પણ આ વાતને ગંભીરતાથી લીધી છે.