રામાયણ પર રીસર્ચ બાદ ઇતિહાસ બદલાઈ જશે : નેપાલ
પ્રતીકાત્મક તસવીર
અસલી અયોધ્યા મુદ્દે નેપાલના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે નેપાળના વિદેશ પ્રધાન તેનાથી બે ડગલાં આગળ નીકળી ગયા છે. એક તરફ નેપાલના વિદેશ મંત્રાલયે ઓલીના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી જે બાદ હવે વિદેશ પ્રધાન પ્રદીપ જ્ઞવાલીએ દાવો કર્યો છે કે રામાયણ પર રીસર્ચ બાદ ઇતિહાસ બદલાઈ જશે. તેમણે કહ્યું કે હજી સુધી આપણે માત્ર વિશ્વાસના આધાર પર જ દરેક વાતો માનતા હતા. એક ઈન્ટરવ્યુમાં જ્ઞવાલીએ કહ્યું કે આપણને તે જ જણાવવામાં આવ્યું છે કે સીતાનો જન્મ જનકપુરમાં થયો અને રામનો જન્મ અયોધ્યામાં થયો પરંતુ જે દિવસથી અધ્યયનથી નવાં તથ્યો મળી જશે, રામાયણનો ઇતિહાસ બદલી જશે. જે રીતે બુદ્ધને લઈને લેખિત ઈતિહાસ છે.