હિંમતનગર: માતાની મૃત્યુ પર માત્ર 1 કલાકની રજા !
માતાની મૃત્યુ પર માત્ર 1 કલાકની રજા
સરકારી અધિકારીઓ સામાન્ય રીતે તેમના કામને લઈને કઈ ખાસ ચિંતિત હોતા નથી જ્યારે એવા જ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે જેની પર આપણે ગર્વ લઈ શકીએ. આવુ જ એક ઉદાહરણ પુરુ પાડ્યું છે હિંમતનગરના એક શિક્ષકો. આમતો શિક્ષકોને સોપાતી ચૂંટણીની જવાબદારી સામે હમેશા વ્યથા જોવા મળે છે ત્યારે આ શિક્ષકે તેની જવાબદારીને પૂરી કરવા માટે પોતાની માતાના મૃત્યુ થઈ હોવા છતા માત્ર 1 કલાકની રજા લઈને અંતિમ સંસ્કારની વિધિ પુરી પાછી ડ્યૂટીએ લાગ્યા હતા.
ગુજરાતી અખબાર દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા પોપટભાઈ અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા પણ તે આમ કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમને માહિતી મળી ગતી કે તેમના માતાનું અવસાન થયું છે. સામાન્ય પરિસ્થિત્માં કોઈ પણ વ્યક્તિ લાંબી રજા લઈને વધી વિધિઓ પૂરી કરે છે જ્યારે પોપટભાઈએ માતાના અંતિમ સંસ્કાર માટે માત્ર 1 કલાકની રજા લીધી હતી અને અંતિમ સંસ્કાર પતાવીને ફરજ પર જોડાયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ટ્રાન્સલેટર ન સમજી શક્યો રાહુલ ગાંધીનું ઇંગ્લિશ : સોશ્યલ મીડિયા પર ઊડી મજાક
પોપટભાઈને જીલ્લામા પેઈડ ન્યૂઝના મોનેટરીંગના જવાબદારી સોપવામાં આવી છે. માતાના મૃત્યુ વખતે પણ પોતાની જવાબદારીને મહત્વ આપતા પોપટભાઈને જોઈને તેમના સાથીમિત્રો અને સંબંધીઓ પણ ચોંકી ઉઠ્યા હતા