Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેવેન્દ્ર ફડણવીસ ફસાયા

દેવેન્દ્ર ફડણવીસ ફસાયા

02 October, 2019 02:51 PM IST | મુંબઈ
હેમલ આશર

દેવેન્દ્ર ફડણવીસ ફસાયા

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ


રાજ્યની વિધાનસભાની ચૂંટણી સામે છે તેવા સમયે બીજેપીમાં એક એવી ઘટના બની છે જેનાથી પક્ષમાં હલચલ મચી જવાની સંભાવના છે. ભલે આને રાજકીય ભૂકંપ ન કહેવાય પણ એને રાજકીય ધ્રુજારો તો કહેવાય જ. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની સામેના બે ગુનાઇત કેસની વિગતો છુપાવી હતી અને એ બદલ સુપ્રીમ કોર્ટે ગઅ કાલે તેમની સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ગેલમાં આવેલા વિરોધ પક્ષોએ મુખ્ય પ્રધાન પાસે નૈતિક ધોરણે રાજીનામાની માગણી કરી છે.

નાગપુરના વકીલ સતીશ ઉકેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં ૨૨ કેસની વિગતો અપાઈ હતી, પરંતુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફડણવીસ વિરુદ્ધ કુલ ૨૪ કેસ નોંધાયેલા છે. હું તેમના જ મતવિસ્તારમાં રહેતો હોવાથી મને તેમનો ભૂતકાળ ખબર છે. તેમની સામે નોંધાયેલા એક ફોજદારી અને છેતરપિંડીના અને બીજા બદનક્ષીના કેસનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે. મેં ૨૦૧૪માં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. હું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છું. મને જણાવવામાં આવ્યું હતું કે આ કેસથી વિધાનસભાની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે, પરંતુ ચૂંટણી માટે હજી ઘણા દિવસ બાકી છે. આ સમાચાર ઘર-ઘર સુધી પહોંચવા જોઈએ. તમે લોકોને લાંબો સમય સુધી ઉલ્લુ ન બનાવી શકો.’



મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ ઑફિસ તરફથી ઉકેના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે અને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે ટ્રાયલ કોર્ટ નક્કી કરશે કે કેસ ચલાવો જોઈએ કે નહીં, સુપ્રીમ કોર્ટે ખટલો ચલાવવાની મંજૂરી આપી છે એ વાત ખોટી છે.


વિરોધ પક્ષોએ મુખ્ય પ્રધાન પાસે નૈતિક ધોરણે રાજીનામાની માગણી કરી છે.

નાગપુરના વકીલ સતીશ ઉકેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં ૨૨ કેસની વિગતો અપાઈ હતી, પરંતુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફડણવીસ વિરુદ્ધ કુલ ૨૪ કેસ નોંધાયેલા છે. હું તેમના જ મતવિસ્તારમાં રહેતો હોવાથી મને તેમનો ભૂતકાળ ખબર છે. તેમની સામે નોંધાયેલા એક ફોજદારી અને છેતરપિંડીના અને બીજા બદનક્ષીના કેસનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે. મેં ૨૦૧૪માં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. હું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છું. મને જણાવવામાં આવ્યું હતું કે આ કેસથી વિધાનસભાની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે, પરંતુ ચૂંટણી માટે હજી ઘણા દિવસ બાકી છે. આ સમાચાર ઘર-ઘર સુધી પહોંચવા જોઈએ. તમે લોકોને લાંબો સમય સુધી ઉલ્લુ ન બનાવી શકો.’


આ પણ વાંચો : યોગગુરુનું શીર્ષાસન: કાં‌દિવલીમાં યોગ સ્પર્ધાના નામે 700 જણ સાથે છેતર‌પિંડી

મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ ઑફિસ તરફથી ઉકેના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે અને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે ટ્રાયલ કોર્ટ નક્કી કરશે કે કેસ ચલાવો જોઈએ કે નહીં, સુપ્રીમ કોર્ટે ખટલો ચલાવવાની મંજૂરી આપી છે એ વાત ખોટી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 02:51 PM IST | મુંબઈ | હેમલ આશર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK