દેશભક્તિના રંગે રંગાયા સાળંગપુરના હનુમાન
ભક્તોએ હનુમાનજી દાદાનાં તેમ જ વિશેષ શણગારનાં દર્શનનો લહાવો લીધો હતો.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દેશભક્તિ થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ હનુમાનજી દાદાનાં તેમ જ વિશેષ શણગારનાં દર્શનનો લહાવો લીધો હતો.