Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાશીમાં ખાસ ગુજરાતીઓ માટે યોજવામાં આવી રહેલાં નોરતાં

વાશીમાં ખાસ ગુજરાતીઓ માટે યોજવામાં આવી રહેલાં નોરતાં

05 October, 2011 08:56 PM IST |

વાશીમાં ખાસ ગુજરાતીઓ માટે યોજવામાં આવી રહેલાં નોરતાં

વાશીમાં ખાસ ગુજરાતીઓ માટે યોજવામાં આવી રહેલાં નોરતાં


 

કાજલ ગોહિલ-વિલ્બેન

નવી મુંબઈ, તા. ૫







રહેવાસીઓને ઘર જેવું વાતાવરણ આપવા શરૂ કરાયેલો તહેવાર હવે કોસ્મોપૉલિટન બની ગયો

૧૯૮૯માં વાશીના સેક્ટર ૧૪ અને ૧૫ના ગુજરાતી રહેવાસીઓએ મળીને માતાજીની નવરાત્રિની ઉજવણી શરૂ કરવાના હેતુથી રસ્તા પર માતાજીની છબિ મૂકીને ગરબે ઘૂમવાનું શરૂ કર્યું હતું, પણ ૧૯૯૪માં રોડ પર ટ્રાફિક વધી જતાં તેમણે રોડ પર રમાતી ગરબી બંધ કરવી પડી હતી. એ જ વખતે વાશીનું મહાત્મા ગાંધી કૉમ્પ્લેક્સ બંધાઈને તૈયાર થઈ જતાં ત્યાં પ્રગતિ સેવા મંડળના નરેન્દ્ર રવાસિયા ઉર્ફે રાજાભાઈએ પોતાની નવરાત્રિની શરૂઆત કરી હતી.

આ નવરાત્રિ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં નરેન્દ્ર રવાસિયાએ કહ્યું હતું કે ‘અમારી નવરાત્રિ એ વાશીના સેક્ટર ૧૪ અને ૧૫ના ગુજરાતી રહેવાસીઓની જ નવરાત્રિ છે. મારું નવરાત્રિ શરૂ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે ગુજરાતી ભાઈ-બહેનો એક થઈને સુરક્ષિત રીતે અને સારા વાતાવરણમાં માતાજીના ગરબાનો આનંદ માણી શકે. આજે તો નવરાત્રિનું આખું રૂપ જ બદલાઈ ગયું છે. એક સમયે ગુજરાતીઓની જ કહેવાતી નવરાત્રિમાં આજે દરેક જાતિ અને ધર્મના લોકો રમતા થઈ ગયા છે અને સમયની માગ અનુસાર અમારી નવરાત્રિ પણ એક કોસ્મોપૉલિટન નવરાત્રિ બની ગઈ છે, જેમાં દરરોજ અંદાજે ૫૦૦૦ જેટલા લોકો જોડાય છે એટલે અમારે મહાત્મા ગાંધી કૉમ્પ્લેક્સને બદલે હવે વાશીના સેક્ટર ૨૮ના ટિળક કૉલેજ ગ્રાઉન્ડ પર નવરાત્રિનું આયોજન કરવું પડ્યું છે.’


 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2011 08:56 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK