Coronavirus Outbreak: વડોદરામાં 78 વર્ષના વૃધ્ધનું મૃત્યુ
પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસ (COVID-19)એ વધુ એક દર્દીનો ભોગ લેતા રાજ્યનો મૃત્યુઆંક આઠ થયો છે. પંચમહાલ જીલ્લાના રહેવાસી 78 વર્ષીય વૃધ્ધનું ગુરૂવારે મોડી રાત્રે એક ખાનગી હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જો કે ગુરૂવાર સાંજ સુધી ગુજરાતમાં કોરોનાનો એકપણ પોઝેટિવ દર્દી નોંધાયો નહોતો.
78 વર્ષીય અબ્દુલ હકીમ પટેલ ગોધરાના રહેવાસી હતા અને વડોદરાની ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝેટિવ આવ્યો હોવાની પુષ્ટિ જીલ્લા આરોગ્ય અધિકારીએ કરી હતી. વડોદરામાં બે દિવસમાં આ બીજું મૃત્યુ થયું હતું. આ મોતને કારણે રાજ્યનો મૃત્યુઆંક આઠ થયો હતો અને રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 88 થઈ છે.