Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફાયર-સેફ્ટીના ધાંધિયા: કમર્શિયલ બિલ્ડિંગ સાથે 400થી વધુ મિલકત સીલ

ફાયર-સેફ્ટીના ધાંધિયા: કમર્શિયલ બિલ્ડિંગ સાથે 400થી વધુ મિલકત સીલ

02 October, 2019 10:22 AM IST | સુરત

ફાયર-સેફ્ટીના ધાંધિયા: કમર્શિયલ બિલ્ડિંગ સાથે 400થી વધુ મિલકત સીલ

ફાયર-સેફ્ટી

ફાયર-સેફ્ટી


સુરતના સરથાણા તક્ષશિલા આર્કેડની ગંભીર દુર્ઘટના બાદ પણ શહેરની કમર્શિયલ મિલકતોમાં ફાયર-સેફ્ટીના ધાંધિયા જોવા મળી રહ્યા છે.

મ્યુનિસિપાલિટીની વારંવારની તાકીદ છતાં પણ ફાયર-સેફ્ટીની સુવિધા ઊભી ન થતાં મ્યુનિસિપાલિટીના ફાયર વિભાગે સીલિંગની કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગે સોમવારે રાત્રે જ શહેરના રિન્ગ રોડ વિસ્તારની બે માર્કેટ અને પાલના કમર્શિયલ કૉમ્પ્લેક્સ સાથે વેડરોડની એક સ્કૂલને અપૂરતી ફાયર સુવિધાના અભાવે સીલ કરી દીધી હતી.



આ પણ વાંચો : આજે PM મોદી ગુજરાતની મુલાકાતે, રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોને મળશે


તક્ષશિલા દુર્ઘટના બાદ ફાયર વિભાગે ફાયર-સેફ્ટીની સુવિધા સામે કડક હાથે કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગે ફાયર-સેફ્ટીની સુવિધા ન હોય એવી મિલકતોને નોટિસ આપ્યા બાદ સમયમર્યાદા આપી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ ફાયર-સેફ્ટીની સુવિધા ઊભી ન કરી હોય એવી મિલકતોને શોધીને સીલિંગની કામગીરી શરૂ કરી છે. મંગળવારે મોટી બેગમવાડી રિન્ગ રોડ પર આવેલી ન્યુ મનીષ માર્કેટની ૧૪૫થી વધુ દુકાનોને ફાયર-સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ કરી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 10:22 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK