Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત સરકારનું બજેટ થયું રજૂઃ આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગાર વધ્યા

ગુજરાત સરકારનું બજેટ થયું રજૂઃ આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગાર વધ્યા

19 February, 2019 02:06 PM IST | ગાંધીનગર
દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

ગુજરાત સરકારનું બજેટ થયું રજૂઃ આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગાર વધ્યા

નાણા મંત્રીએ રજૂ કર્યું બજેટ

નાણા મંત્રીએ રજૂ કર્યું બજેટ


ગુજરાત બજેટની મહત્વની વાતોઃ

-જળ સંચય યોજનાનો 60 ટકા ખર્ચ સરકાર ઉપાડશે.

-પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોના પરિવારને મળતી સહાય પ્રતિ દિવસ 150 રૂપિયાથી વધીને 300 રૂપિયા કરવામાં આવી.

-મા વાત્સલ્ય યોજના માટેની આવકની મર્યાદા 3 લાખથી વધારી 4 લાખ કરવામાં આવી.

--મા વાત્સલ્ય યોજનામાં 5 લાખ સુધીનો ખર્ચ સરકાર આવશે.

-એશિયાઈ સિંહોના રક્ષણ માટે ખાસ સીસીટીવી લગાવવામાં આવશે.

-ધોલેરામાં 5, 000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનશે, જેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે.



-કેન્દ્ર સરકારે જાહેર કરેલી ખેડૂતોને 6,000 રૂપિયા આપવાની યોજનાનો જલ્દીથી અમલ કરવામાં આવશે.

-મહારાજ સાહેબ અને મહાસતીજી માટે અલગ પગદંડી બનાવાશે.

-નડિયાદમાં વધુ એક મેડિકલ કૉલેજ ખોલવાના પ્રયાસ

-આશા બહેનોના પગારમાં 2 હજારનો વધારો

-તમામ વિધવા બહેનોને 1250 પેન્શન મળશે.


-53, 000 આંગણવાડીમાં કામ કરતા બહેનોના વેતનમાં 900 રૂપિયાનો વધારો થયો. કુલ પગાર 7, 200 રૂપિયા થયા. તેડાગર બહેનોના પગારમાં 450 રૂપિયાનો વધારો.

-ખેડૂતોને ચોમાસા અને શિયાળામાં પુરું પાણી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જળસંચય અભિયાન હાથ ધરવામાં આવશે.


-વૃદ્ધ પેન્શન યોજનામાં 50 ટકાનો વધારો કરાયો.

-નવા 8 સમરસ છાત્રાલય બનાવવામાં આવશે.

-નિગમોને 150 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવશે.

-હવેથી રાજ્ય સરકાર આપશે બેન્ક ગેરેન્ટી.

-જે હાઈવે પર 1 લાખથી વધુ વાહનો ચાલતા હશે ત્યાં કેન્દ્ર સરકારના સહયોગથી 135 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ફાટકમુક્ત ગુજરાત તરફ સરકાર આગળ વધી રહી છે.

-અગત્યના ધોરીમાર્ગો પર 8 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે.

-અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જગ્યાએ ડીસેલિનેશન પ્લાન્ટ બનશે. જેમાં ખારું પાણી મીઠું બનશે.

-સર્વશિક્ષા અભિયાન દ્વારા છેલ્લા દાયકા દરમિયાન 79,000 થી વધુ વર્ગખંડ અને 32,800 જેટલી શાળાઓમાં પાણી અને સેનિટેશનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

-અમદાવાદથી શંખેશ્વર સુધી પગદંડી બનશે.

-ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલ હૉસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવશે.

-જ્યાં ટ્રાફિક જામ થતો હયો ત્યાં ગુજરાત સરકાર 100 ટકા ખર્ચે ફ્લાયઓવર બનાવી આપશે.

-રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગોધરા, પાટણ, ડીસા સહિતના શહેરોમાં ફ્લાયઓવર બનશે.

-મેટ્રોનું કામ 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

-7 લાખ 64 હજાર આવાસો બનાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 02:06 PM IST | ગાંધીનગર | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK