કાલાવડથી ૧૫થી ૨૦ કિલોમીટર દૂર ધોરાજી તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડિયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં છનાં મોત નીપજ્યાં છે અને ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. બનાવના પગલે લાંબો ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે છનાં મોત છે અને બે ઘાયલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હૉસ્પિટલ ખસેડાયા છે.
આ પણ વાંચો : અરબી સમુદ્રમાં ‘પવન’ વાવાઝોડું સક્રિય, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી
અકસ્માતમાં કમકમાટીભર્યાં પાંચનાં મોત નીપજ્યાં છે તે તમામ જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. રસ્તા પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ ઘટનાથી આસપાસના ગામલોકોએ દોડી આવી ઇકો કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Indian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ
17th January, 2021 13:18 ISTPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે
16th January, 2021 18:44 ISTશ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો
16th January, 2021 12:52 IST