રાજકોટમાં રોકડિયા મહાદેવનો રોકડથી શણગાર
રોકડિયા મહાદેવ
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી આસ્થા સોસાયટીમાં આવેલા નીલકંઠ મહાદેવને શ્રાવણની ઉજવણીના ભાગરૂપે અસલી ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર નવી નોટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પચાસ રૂપિયાથી લઈને બે હજાર સુધીની નોટના આ શણગારમાં કુલ ૩,પ૯,૦૦૦ રૂપિયાની નોટનો વપરાશ કરવામાં આવ્યો હતો. સૌથી સારી વાત એ છે કે મહાદેવને ચડાવવામાં આવેલી આ તમામ રકમ સરકારી સ્કૂલનાં બાળકોને જરૂરિયાત હશે એ મુજબની ભણવાની ચીજવસ્તુઓ લઈ આપવામાં ખર્ચવા માટે આવશે.
આ પણ વાંચો : Janmashtami 2019: જાણો ક્યા દિવસે થશે કૃષ્ણજન્મ, કેવી રીતે કરશો કાન્હાની આરાધના?
ADVERTISEMENT
રૂપિયાના આ શણગાર માટે એકત્રિત કરાયેલી રકમ પણ મંદિરની દાનપેટીમાંથી નહીં, પણ સ્વયંસેવકોએ પોતાના ખિસ્સામાંથી આપી છે.