આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતીના પગલે ગુજરાતમાં હાઈ અલર્ટ
ગુપ્તચર વિભાગે રાજ્ય સરકારને એક કાગળ લખીને માહિતી આપી છે કે ગુજરાતમાં ત્રણ આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને તેમના ટાર્ગેટ અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં મોટાં શહેરો છે. હવે ૯ ઑગસ્ટે જન્માષ્ટીનો તહેવાર તથા ૧૫ ઑગસ્ટે સ્વાતંhયદિન હોવાથી આ દિવસો દરમ્યાન ગુજરાતમાં ભાંગફોડ કરવાનું અને આતંકી દહેશત ફેલાવવા માટે આતંકવાદી હુમલાનું કાવતરું રચાયું હોવાની માહિતી કેન્દ્રીય ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોની આ માહિતી પછી આખા રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવામાં આવી છે