Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Update: ગુજરાતમાં નવા 363 કેસિઝ, 392 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

Gujarat Update: ગુજરાતમાં નવા 363 કેસિઝ, 392 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

22 May, 2020 09:07 PM IST | Gandhinagar
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat Update: ગુજરાતમાં નવા 363 કેસિઝ, 392 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

Gujarat Update: ગુજરાતમાં નવા 363  કેસિઝ, 392 દર્દીઓ ડિસ્ચાર્જ થયા


ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 363 દર્દી નોંધાયા છે અને 29નાં મોત થયા છે. જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે જે સારા સમાચાર માની શકાય. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13,273 કેસ નોંધાયા છે અને  મૃત્યુ આંક 802 થયો છે.

11 દર્દીનાં કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, ડિસ્ચાર્જ 5,880 અને 802ના મોત થયા છે. આજે જે કૂલ 363 કેસિઝ આવ્યા છે તેમાંથી અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3 કેસ નોંધાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 09:07 PM IST | Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK