Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ

જામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ

06 December, 2019 09:01 AM IST | Jamnagar

જામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ

જામનગરમાં નૉનવેજની ૬૦થી વધુ રેંકડીઓ બંધ


જામનગર શહેરના અનેક વિસ્તારોમાં નૉનવેજની રેંકડીઓ મોડી રાત સુધી ખુલ્લી રહે છે અને ત્યાં લુખ્ખાં તત્ત્વો એકત્ર થઈને તકરાર કરતા હોય છે અને ક્યારેક ઘટનાઓને મોટું સ્વરૂપ આવી જતું હોવાથી આવાં તત્ત્વોને કાબૂમાં રાખવા તેમ જ લુખ્ખાં તત્ત્વોને એકત્ર થતાં રોકવા માટે શહેરની તમામ નૉનવેજની રેંકડીઓને દૂર કરવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.
રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી નૉનવેજની રેંકડીઓને બંધ કરવા માટે આવેદનપત્ર અપાયા પછી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સાત રસ્તા સર્કલમાંથી પાંચ રેંકડીઓ કબજે કરાઈ હતી. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં નૉનવેજની રેંકડીઓ બંધ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી રાત્રિ પૅટ્રોલિંગ શરૂ કરાયું હતું. જેના ભાગરૂપે શહેરમાંથી ૬૦ જેટલી નૉનવેજની રેંકડીઓ હાલમાં બંધ થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 09:01 AM IST | Jamnagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK