Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોરોના કેર વચ્ચે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

કોરોના કેર વચ્ચે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

19 June, 2020 07:22 AM IST | Gandhinagar
Agencies

કોરોના કેર વચ્ચે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે આગામી ચાર દિવસ વરસાદી માહોલ બની રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ૨૧ જૂને રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા.૧૯ના વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તા. ૨૦ અને ૨૧ જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમ જ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વેધર વૉચ ગ્રુપની મંગળવારે યોજાયેલી ઑનલાઇન બેઠકમાં હવામાન વિભાગ તરફથી એવી જાણકારી અપાઈ કે રાજ્યમાં બે અઠવાડિયાંમાં ઝાઝા વરસાદની શક્યતા નથી, પણ ૨૬ જૂનથી બીજી જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2020 07:22 AM IST | Gandhinagar | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK