Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન

પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન

14 June, 2019 09:20 AM IST | રાજકોટ

પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન

‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન

‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન


‘વાયુ’ સાઇક્લોનની ઘડીઓ ગણાતી હતી ત્યારે પોરબંદરના દરિયાક‌િનારે બુધવારે રાતે દોઢ કલાકનો એક હવન ચાલુ થયો હતો. મજાની વાત એ છે કે એ સમયે ચોપાટી પર પ્રવેશ પ્રતિબંધ હતો અને એ પછી પણ રાતે બાર વાગ્યે આ હવન શરૂ થયો હતો. દરિયાદેવને શાંત પાડવા માટે કરવામાં આવેલા આ હવનની ઑફિશ્યલ પરમ‌િશન લેવામાં આવી હતી. પોરબંદરની ખારવા કમ્યુનિટી એવું દૃઢપણે માને છે કે અમુક પ્રકારના હવન દરિયા સામે કરવામાં આવે તો એનાથી દરિયો શાંત થાય છે. ખારવા કમ્યુનિટીની આ માન્યતા અને લોકલાગણીને માન આપીને પોરબંદર પોલીસ અને કલેક્ટર ડિપાર્ટમેન્ટે આ પરમિશન આપી હતી અને ૨૧ લોકોની હાજરીમાં આ હવન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સ્ટ્રિક્ટ સૂચનાઃ કોઈએ ઘરમાં રહેવાનું નથી: વિજય રૂપાણી



અકસ્માત ગણો તો અકસ્માત, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આ હવન પછી જે ‘વાયુ’ સાઇક્લોન પોરબંદરના દરિયાકાંઠે અથડાવાનો હતો એ ૧૨૦ કિલોમીટર દૂરથી યુટર્ન લઈને પાછો ફરી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 09:20 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK