પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન
‘વાયુ’ સાઇક્લોનનું સંકટ ટળે એ માટે હવન
‘વાયુ’ સાઇક્લોનની ઘડીઓ ગણાતી હતી ત્યારે પોરબંદરના દરિયાકિનારે બુધવારે રાતે દોઢ કલાકનો એક હવન ચાલુ થયો હતો. મજાની વાત એ છે કે એ સમયે ચોપાટી પર પ્રવેશ પ્રતિબંધ હતો અને એ પછી પણ રાતે બાર વાગ્યે આ હવન શરૂ થયો હતો. દરિયાદેવને શાંત પાડવા માટે કરવામાં આવેલા આ હવનની ઑફિશ્યલ પરમિશન લેવામાં આવી હતી. પોરબંદરની ખારવા કમ્યુનિટી એવું દૃઢપણે માને છે કે અમુક પ્રકારના હવન દરિયા સામે કરવામાં આવે તો એનાથી દરિયો શાંત થાય છે. ખારવા કમ્યુનિટીની આ માન્યતા અને લોકલાગણીને માન આપીને પોરબંદર પોલીસ અને કલેક્ટર ડિપાર્ટમેન્ટે આ પરમિશન આપી હતી અને ૨૧ લોકોની હાજરીમાં આ હવન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સ્ટ્રિક્ટ સૂચનાઃ કોઈએ ઘરમાં રહેવાનું નથી: વિજય રૂપાણી
ADVERTISEMENT
અકસ્માત ગણો તો અકસ્માત, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આ હવન પછી જે ‘વાયુ’ સાઇક્લોન પોરબંદરના દરિયાકાંઠે અથડાવાનો હતો એ ૧૨૦ કિલોમીટર દૂરથી યુટર્ન લઈને પાછો ફરી ગયો હતો.