ગુજરાત સરકારે ચૂકવ્યા ખેડૂતો પાક વીમા પેટે 2,600 કરોડ રૂપિયા
ફાઈલ ફોટો
ગુજરાત સરકાર દ્વારા આખરે ખેડૂતોના પાક વીમાના રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. CM વિજય રૂપાણીએ આજે આ વિશે માહિતી આપી હતી. સરકારે ખેડૂતોને પાક વીમા પેટે 2,600 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. જો કે ગુજરાત કૉન્ગ્રેસનું માનવું છે કે, ગુજરાતના ખેડૂતોને પાક વીમાનું યોગ્ય વળતર મળ્યું નથી. યોગ્ય વળતર કરતા ઓછી કિમત ચૂકવવામાં આવી છે.
CM રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં 2,600 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે 2,00 કરોડ રૂપિયા ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે.
ADVERTISEMENT
'આ સરકાર ખેડૂતોની ચિંતા કરે છે એટલે ગત વર્ષે અનિયમિત ચોમાસુ હોવાના કારણે અને કેન્દ્રના દુષ્કાળના નિયમો મુજબ પાંચ ઇંચ વરસાદ સુધી સબંધિત વિસ્તારો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવી હતી પરંતુ આ સરકારે 14 ઇંચ વરસાદ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને જે તે વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરીસબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે. આવા 15 થી 15 લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.