વિધાનસભામાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહની કૉન્ગ્રેસ ધારાસભ્યોને ખુલ્લી ઑફર
પ્રદીપસિંહ જાડેજા
રાજ્યસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. સાથે જ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેને કારણે હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. એવામાં વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નિવેદન પર ભારે હોબાળો મચી જવા પામ્યો છે. પ્રદીપસિંહે વિધાનસભામાં જ કૉન્ગ્રેસના કૉર્પોરેટરને ઑફર કરી કે રાજ્યસભાની ચૂંટણી આવે છે, તમારે આવવું હોય તો આવી શકો છો.
હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન કૉન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે જેઠાભાઈને કહ્યું હતું કે કુંવરજી જવાહરભાઈ મંત્રી બનશે, તમે નહીં. કૉન્ગ્રેસના ધારાસભ્યની આવી પ્રતિક્રિયા પર તરત જ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તરત જ ઍક્શનમાં આવી ગયા હતા અને ગુલાબસિંહની વાત પર કટાક્ષ કરતાં પ્રદીપ સિંહે તેમને વિધાનસભામાં જ બીજેપીમાં જોડાવાની ઑફર કરી દીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : વાતાવરણ પલટાયું, આજે સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા
પ્રદીપસિંહની આ ટિપ્પણી પર રાજકારણ ગરમાયું હતું અને પ્રદીપસિંહની ઑફરને લઈ કૉન્ગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણી સમયે જ બીજેપી તોડજોડ કરે છે. બીજેપી તરફથી ધારાસભ્યોને તોડવાની કોશિશ થાય છે. રાજ્યસભામાં બીજેપીને એક બેઠક ગુમાવવાનો ડર છે.