Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથ મંદિરના તમામ કાર્યક્રમો રદ, શ્રદ્ધાળુઓમાં ભારે ઘટાડો

સોમનાથ મંદિરના તમામ કાર્યક્રમો રદ, શ્રદ્ધાળુઓમાં ભારે ઘટાડો

20 March, 2020 12:40 PM IST | Gandhinagar
Agencies

સોમનાથ મંદિરના તમામ કાર્યક્રમો રદ, શ્રદ્ધાળુઓમાં ભારે ઘટાડો

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર


વિશ્વભરમાં વકરતા કોરોના વાઇરસના કારણે અનેક મંદિરો-મસ્જિદ અને ચર્ચને બંધ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાતમાં આવેલા આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મંદિરમાં કોરોનાને લઈને સાવચેતીના ભાગરૂપે મહત્વનાં પગલાં લેવાયાં. જોઈએ આ અહેવાલ.

કોરોના વાઇરસના કારણે દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરમાંથી વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે, પરંતુ કોરોનાના કેરને યાત્રિકોની સલામતીના ભાગરૂપે મંદિરના આગામી ૨૧, ૨૨ અને ૨૫ તારીખના કાર્યક્રમો રદ કરી દેવાયા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલની આગેવાનીમાં બેઠક મળી હતી જેમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ લઈને પણ મહત્ત્વના નિર્ણયો લેવાયા જેમાં આરતી સમયે પણ કોઈ યાત્રિકોને ઊભા ન રાખવા.



આરતીમાં પણ કપૂર, ગૂગળ જેવા રોગપ્રતિકારક પદાર્તનો વધુ ઉપયોગ કરવા કહેવાયું. આ ઉપરાંત યાત્ર‌િકોને વેબસાઇટ કે સોશ્યલ મીડિયાથી ઘેરબેઠાં દર્શન કરવાની પણ અપીલ કરાઈ છે. સાથે જ દેવાધ‌િદેવ સોમનાથ મહાદેવ દરેક મુસીબતોનો તરત અંત કરે એવી પણ પ્રાર્થના કરવામાં આવી. સોમનાથ મંદિર પરિસરમાં કોરોનાને લઈને જાગૃતિ માટે આરોગ્ય વિભાગે બૅનરો લગાવ્યાં છે તો સાથે જ ૨૫ માર્ચના ગોલોક ધામ મહોત્સવનું પણ આયોજન રદ કરી દેવાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 12:40 PM IST | Gandhinagar | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK