અરવલ્લીઃ અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો રોકાતા સંઘર્ષ,પોલીસકર્મી પણ ઘાયલ
લગ્નના વરઘોડામાં ફરી એકવાર વિવાદ(પ્રતિકાત્મક તસવીર)
ગુજરાતમાં લગ્નનો વરઘોડો કાઢવાના લઈને શરૂ થયેલો સંઘર્સ રોકાવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સામે આવેલો મામલો અરવલ્લીનો છે. અહીં રવિવારે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડાને જ્યારે પાટીદાર સમાજે રોકી તો હિંસક ઝડપ થઈ ગઈ. જેમાં અનેક ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. મામલા પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો.
પોલીસે આપેલી માહિતી અનુસાર ખાંભીસર ગામમાં રવિવારે સાંજે જ્યારે અનુસૂચતિ જાતિના યુવકની જાની નીકળી ત્યારે પાટીદાર સમાજના લોકોએ તેને રોકી. પાંચ કલાકથી વધુ સમય માટે જાન ત્યાં જ રોકાયેલી રહી. રકઝક થયા બાદ બંને બાજુએથી પથ્થરમારો કરવામાં આવ્યો.
આ પણ વાંચોઃ જાન રવાના થઈ, પણ કન્યાને લેવા નહીં, દીકરાને ખુશ કરવા
ADVERTISEMENT
ગાંધીનગર રેંજના IG મયંક ચાવડાએ કહ્યું કે, ઘટનાની સૂચના મળતા પોલીસને સ્થળ પર મોકલવામાં આવી. વરરાજાના પરિવારજનોને સુરક્ષા આપવામાં આવી છે. ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવા માટે બંને સમુદાયના મુખ્ય લોકોની બેઠક બોલાવવામાં આવી છે. વરરાજા પક્ષના લોકો, આ ઘટના માટે પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેનું કહેવું છે કે તેમણે પહેલા જ પોલીસ પાસે સુરક્ષા માંગી હતી પરંતુ તેમને ન આપવામાં આવી. મહત્વનું છે કે હાલમાં જ બે ગામોમાં અનુસૂચિત જાતિના યુવકના વરઘોડાને લઈને વિવાદ થઈ ચુક્યો છે.