Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતાં વિવાદ

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતાં વિવાદ

12 June, 2020 01:32 PM IST | New Delhi
Agencies

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતીઓને પછાત કહેતાં વિવાદ

વિજય રૂપાણી

વિજય રૂપાણી


ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક ટ્વીટમાં ગુજરાતીઓને સાંસ્કૃતિક રીતે પછાત કહેતાં વિવાદ ભડક્યો છે. ગુહાએ પોતાના ટ્વીટમાં ફિલિપ સ્પ્રાટને ટાંકતાં લખ્યું છે કે આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં ગુજરાત સાંસ્કૃતિક રીત પછાત પ્રાંત છે, જ્યારે એનાથી વિરુદ્ધ બંગાળ આર્થિક રીતે પછાત હોવા છતાં સાંસ્કૃતિક રીતે આગળ છે. પોતાના ટ્વીટમાં ગુહાએ લખ્યું છે કે ૧૯૩૯માં ફિલિપ સ્પ્રાટે આવું લખ્યું હતું.

ગુહાના ટ્વીટથી ભડકી ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબમાં લખ્યું છે કે ‘પહેલાં અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અનુસરતા હતા. હવે બૌદ્ધિકોનું જૂથ ભારતીયોમાં ભાગલા પડાવી રહ્યું છે. દેશ ક્યારેય આ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓમાં નહીં ફસાય. ગુજરાત મહાન છે, બંગાળ પણ મહાન છે અને ભારત એક છે.’



રૂપાણીએ એમ પણ લખ્યું હતું કે ગુજરાતનાં સાંસ્કૃતિક મૂળિયાં મજબૂત છે તેમ જ એની આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ પણ બુલંદ છે. ગુજરાતને પછાત કહેનારી ગુહાની ટ્વીટ પર લોકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. ઘણા યુઝર્સે રૂપાણીએ ગુહાને આપેલા જવાબનાં વખાણ પણ કર્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2020 01:32 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK