Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat: ગાંધીનગર કલોલ બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિત શાહે માગ્યો રિપોર્ટ

Gujarat: ગાંધીનગર કલોલ બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિત શાહે માગ્યો રિપોર્ટ

22 December, 2020 08:30 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat: ગાંધીનગર કલોલ બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિત શાહે માગ્યો રિપોર્ટ

તસવીર સૌજન્ય - એએનઆઇ

તસવીર સૌજન્ય - એએનઆઇ


ગુજરાતના ગાંધીનગરમાં મંગળવારે સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના કલોલ ગાર્ડન સિટી વિસ્તારની છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે એના કારણે આસપાસની બે દુકાનો ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, ઓએનજીસીના અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. આ બ્લાસ્ટ ઓએનજીસીની પાઇપ લાઇનમાં થયો હોવાની ચર્ચા પણ ચાલી છે આ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.

અન્ય એક મીડિયા રિપોર્ટમાં ગાંધીનગરના પોલીસ મયૂર ચાવડા પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં મંગળવારે સવારે એક શક્તિશાળી વિસ્ફોટના પગલે બે મકાનો ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત અને બે લોકો ઘાયલ થયા છે. આ મકાનો પાસેથી ઓએનજીસીની બે પાઈપ લાઈન પસાર થાય છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે વિસ્ફોટ કયા કારણોસર થયો છે અને તે ઓએનજીસીની જ પાઇપલાઇન છે કે કેમ. આ ઘટના કાલોલ શહેરના પંચવટી સમાજમાં બની હતી.



વિસ્ફોટના ચોક્કસ કારણો શોધવા માટે ફોરેન્સિક નિષ્ણાતોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે લગભગ 7.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બે માળના મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા.


વિસ્ફોટને કારણે નજીકના કેટલાક મકાનો અને વાહકોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘણા મકાનોની કાચની બારી તૂટી ગઈ હતી. તેમણે કહ્યું કે જે મકાનો તૂટી પડ્યાં છે તેમાંથી એક ઘર લાંબા સમયથી બંધ હતું, જ્યારે કેટલાક લોકો અન્ય મકાનોમાં રોકાયા હતા. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.


ઘટનાની જાણ થતાં જ કોન્ગ્રેસના સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઠાકરેએ કહ્યું, 'હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિસ્ફોટનું કારણ શું હતું. આ ગેસ પાઇપલાઇન પંચવટી સમાજમાં બંધાયેલા મકાનો નીચેથી પસાર થતી હતી. આ વિસ્ફોટમાં બે મકાનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે.

રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ ઓએનજીસીની પાઇપલાઇનના કારણે થયો હતો. જોકે, આ દાવો ઓએનજીસીએ નકારી દીધો છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 08:30 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK