Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આશાબેનનું રાજીનામુઃભાજપ-કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ

આશાબેનનું રાજીનામુઃભાજપ-કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ

02 February, 2019 04:57 PM IST |

આશાબેનનું રાજીનામુઃભાજપ-કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ

અમિત ચાવડા અને વિજય રૂપાણી

અમિત ચાવડા અને વિજય રૂપાણી


આશાબેન પટેલના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસના નેતૃત્ત્વ પર આક્ષેપ થયા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આરોપ લગાવ્યા છે. તો સામે સીએમ વિજય રૂપાણીએ આખી ઘટનાને કોંગ્રેસનો આંતરિક મામલો ગણાવી છે.

રાજકોટમાં એક કાર્યક્રમ બાદ પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું,'મને એમ લાગે છે કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. આશા બહેનનું નિવેદન કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને નિવેદન આપ્યું છે. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે અને તેના લીધે કોંગ્રેસના નેતાઓ નારાજ છે.'



તો સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કાલ સુધી તેમની કોઇ નારાજગી સામે આવી નહોતી. પરંતુ રાતોરાત શું રંધાયું તે આગામી સમય બતાવશે. વધુમાં અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા છે. અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું,'ભાજપ અમારા ધારાસભ્યોને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ડરાવી-ધમકાવી, લાલચ આપી તોડવાનો પ્રયાસ કરે છે. ભાજપની આ નીતિ આવનારા સમયમાં ખુલ્લી પડશે.'


આ પણ વાંચોઃઆશાબેનના રાજીનામા પાછળ કોનો હાથ?, વાંચો EXCLUSIVE અહેવાલ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી રાજીનામા બાદ આશાબહેન પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 04:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK