આશાબેનનું રાજીનામુઃભાજપ-કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ
અમિત ચાવડા અને વિજય રૂપાણી
આશાબેન પટેલના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસના નેતૃત્ત્વ પર આક્ષેપ થયા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આરોપ લગાવ્યા છે. તો સામે સીએમ વિજય રૂપાણીએ આખી ઘટનાને કોંગ્રેસનો આંતરિક મામલો ગણાવી છે.
રાજકોટમાં એક કાર્યક્રમ બાદ પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું,'મને એમ લાગે છે કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. આશા બહેનનું નિવેદન કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને નિવેદન આપ્યું છે. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે અને તેના લીધે કોંગ્રેસના નેતાઓ નારાજ છે.'
ADVERTISEMENT
તો સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કાલ સુધી તેમની કોઇ નારાજગી સામે આવી નહોતી. પરંતુ રાતોરાત શું રંધાયું તે આગામી સમય બતાવશે. વધુમાં અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા છે. અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું,'ભાજપ અમારા ધારાસભ્યોને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ડરાવી-ધમકાવી, લાલચ આપી તોડવાનો પ્રયાસ કરે છે. ભાજપની આ નીતિ આવનારા સમયમાં ખુલ્લી પડશે.'
આ પણ વાંચોઃઆશાબેનના રાજીનામા પાછળ કોનો હાથ?, વાંચો EXCLUSIVE અહેવાલ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી રાજીનામા બાદ આશાબહેન પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.