મોબાઈલ ફોન થશે મોંઘા, હવે લાગશે 18 ટકા GST
જીએસટી કાઉન્સિલની બેઠક
શનિવારે સાંજે યોજાયેલી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં લેવાયેલા નિર્ણય બાદ મોબાઈલ ફોન મોંધા થઈ જશે. કારણકે મોબાઈલ ફોન પરનો જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમણે પત્રકાર પરિષદમાં આ બાબાતની માહિતિ આપતા કહ્યું હતું કે, મોબાઈલ ફોન અને તેના સંબંધિત વિભાગમાં ટેક્સ રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મેન્ટેનન્સ, રિપેયરિંગ અને ઓવરહૉલ સર્વિસ પ્રોવાઈડર્સને રાહત આપતા જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે. આ બધા જ બદલાવ પહેલી એપ્રિલ 2020 થી લાગુ પડશે.
મોબાઈલ ફોન પર હવે 12 ટકાની બદલે 18 ટકા જીએસટી ભરવો પડશે. નાણા સચિવ અજય ભુષણ પાંડેયે કહ્યું હતું કે, મોબાઈલ ફોન પર જીએસટી વધારવાનો નિર્ણય મોબાઈલ ફોન પરની ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રક્ચરને નાબુદ કરવા માટે લેવાયો છે. મોબાઈલની કિંમતમાં વધારો કરવો કે નહીં તે નિર્ણય નિર્માતા કંપનીઓનો રહેશે.
ADVERTISEMENT
જીએસટી કાઉન્સિલે ભલે મોબાઈલ ફોન પર જીએસટી વધારી દીધો હોય પણ હાલના ઈકૉનોમિક સ્લોડાઉન અને કોરોના વાઈરસની ઈમ્પેકટને ધ્યાનમાં રાખીને ફુટવેર અને ટૅક્સટાઈલના જીએસટીના દરમાં બદલાવ કરવાનો પ્રસ્તાવ માંડી વાળ્યો છે.
શમિવારે યોજાયેલી બેઠક જીએસટી કાઉન્સિલની 39 મી બેઠક હતી.