Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં થશે ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ

સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં થશે ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ

12 December, 2020 03:48 PM IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં થશે ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ

સ્ટેચ્યુ ઑફ યુનિટી

સ્ટેચ્યુ ઑફ યુનિટી


હવે વિશ્વભરમાંથી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓને ભારતની એકતા અને અખંડિતતાના ભવ્ય વારસા વિશે જાણવાની અમૂલ્ય તક મળશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ દેશના ૫૬૨ દેશી રજવાડાઓના વિલિનિકરણથી એક અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાથી પણ વાકેફ થશે અને આ શક્ય બનશે સ્ટેચ્યુ પરિસરમાં બનાવવામાં આવનારા મ્યુઝિયમ થકી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્ટેચ્યુ પરિસરમાં એક ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમા પ્રવાસીઓ દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા અત્યાધુનિક થ્રીડી હોલોગ્રાફી ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઑડિયો-વિડિયો કન્ટ્રોલ લાઇટ સિસ્ટમના આકર્ષણ સાથે માણી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2020 03:48 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK