બોરીવલી-વેસ્ટમાં મહેલ જેવી સજાવટ ગોરાઈચા કૈવારીની
મંડળના સતીશ ચંદ્રકાન્ત કાંબળેએ કહ્યું હતું કે ‘અમારે ત્યાં સાત દિવસના ગણપતિ લાવ્યા હતા તેમ જ મંડળના ૩૫ જેટલા સભ્યોએ જાતે જ થર્મોકોલથી મહેલ જેવું ડેકોરેશન કર્યું હતું. ગણેશોત્સવ દરમ્યાન ફ્રી ડેન્ટલ ચેક-અપ, ફ્રી વેલનેસ થેરપી તેમ જ સત્યનારાયણ ભગવાનની પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતેગાજતે ૨૫ સપ્ટેમ્બર, મંગળવારે ગોરાઈ ખાડીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.’