ભુજબળ સામે ભ્રષ્ટાચારની તપાસ કરવાનું કેન્દ્ર સરકારનું ગ્રીન સિગ્નલ
ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા ખુલ્લી તપાસ યોજવામાં કોઈ વાંધો નહીં હોવાનું ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે. મહારાષ્ટ્ર સદન અને મુંબઈની બે સરકારી ઇમારતોના બાંધકામમાં છગન ભુજબળની ભૂમિકા તપાસવામાં આવનાર હોવાથી ભુજબળની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.