રવીન્દ્રનાથ ટાગોર સેકન્ડ રેટ નાટ્યલેખક : ગિરીશ કર્નાડ
બૅન્ગલોરમાં ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં કર્નાડે કહ્યું હતું કે ટાગોર મહાન કવિ હતા, પણ નાટ્ય લેખક તરીકે તેઓ સાવ સાધારણ કક્ષાના અને સેકન્ડ રેટ હતા. જ્ઞાનપીઠ અવૉર્ડવિજેતા કર્નાડે એમ પણ કહ્યું હતું કે ‘છેલ્લાં ૫૦ વર્ષમાં ભારતમાં બાદલ સરકાર, મોહન રાકેશ અને વિજય તેંડુલકર જેવા અનેક નાટ્ય લેખકો થઈ ગયા, જે ટાગોર કરતાં ઘણા સારા હતા.’