Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠેર-ઠેર કચરાના ઢગલાથી નગરસેવકો પણ કંટાળ્યા

ઠેર-ઠેર કચરાના ઢગલાથી નગરસેવકો પણ કંટાળ્યા

05 October, 2011 08:37 PM IST |

ઠેર-ઠેર કચરાના ઢગલાથી નગરસેવકો પણ કંટાળ્યા

ઠેર-ઠેર કચરાના ઢગલાથી નગરસેવકો પણ કંટાળ્યા


 




આ બેઠકમાં નગરસેવકોએ મહાનગરપાલિકા ઝોન-૬ના ડેપ્યુટી કમિશનર ડૉક્ટર એસ. એસ. કુડાલકરને કચરો ઉપાડતા કૉન્ટ્રૅક્ટર સામે પગલાં લઈ કચરો ભરાવવાની સમસ્યા દૂર કરવા જણાવ્યું હતું. અઠવાડિયું થઈ ગયું, પણ કચરાની સમસ્યા હલ થઈ નથી. આ સમસ્યા આજકાલની નથી; છેલ્લા બે મહિનાથી ચાલી આવે છે.

કચરાના ઢગલા વિશે વાત કરતાં ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્કનાં રહેવાસી સાધના શાહે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારનો કચરો રોજબરોજ સુધરાઈ ઉપાડતી નથી. એમાં અધૂરામાં પૂરું જ્યારથી નજીકમાં ઑફિસો વધી છે ત્યારથી એ ઑફિસવાળાઓ પણ અમારા વિભાગમાં આવી કચરો ડમ્પ કરે છે. આ કચરો જ્યાં ડમ્પ કરવામાં આવે છે એની બાજુમાંથી નાળું પસાર થાય છે. ચોમાસામાં આ નાળાનું પાણી ઊભરાઈને રસ્તા પર આવે છે. એથી કચરા સાથે ગંદકીનો ત્રાસ પણ દિનપ્રતિદિન વધી  રહ્યો છે.


 


 

નવાઈ તો એ વાતની છે કે સ્થાનિક રહેવાસીઓ  પાસે પણ આની સામે ફરિયાદ કરવાનો સમય ન હોવાથી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. હું જ્યારે-જ્યારે સુધરાઈમાં ફરિયાદ કરું છું ત્યારે તેઓ કચરો હટાવવા માટે માણસો અને ગાડીઓ ઓછી હોવાનું કહી ફોન મૂકી દે છે. નગરસેવકોએ ‘ઍન’ વૉર્ડની પ્રભાગ સમિતિની સભા આ કારણે મોકૂફ રાખી એનાથી આ સમસ્યા ઉકેલાઈ ગઈ એવું સમજવું ભૂલભરેલું છે. ગણપતિના તહેવારના સમયથી આ સમસ્યા યથાવત્ છે. હવે એનો ઉકેલ આવે તો સારું, કારણ કે અમારે તો ઘરે જવા એ કચરામાંથી જ પસાર થવું પડે છે.’

- અહેવાલ અને તસવીર : રોહિત પરીખ

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2011 08:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK