ગણપતિબાપ્પા ચાલ્યા પંડાલમાં, જુઓ તસવીરો
ADVERTISEMENT
ગઈ કાલે પરેલની ગણેશ વર્કશૉપમાંથી અનેક ગણેશમૂર્તિઓને સાર્વજનિક મંડળો એમના પંડાલમાં લઈ ગયાં હતાં.
મુંબઈચા રાજા તરીકે વિખ્યાત ગણેશ ગલીની ગણેશમૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પરેલમાં આવેલા નારાયણ મલ્હાર જોશી માર્ગ પરના દિન બિલ્ડિંગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળની ગણેશમૂર્તિને ગઈ કાલે થાણેથી પરેલ લઈ આવવામાં આવી હતી.
લોકોએ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશમૂર્તિઓ લાવવી જોઈએ એવો પ્રચાર કરવા માટે પ્રભાવ મિલિટરી સ્કૂલના સ્ટુડન્ટ્સે ગઈ કાલે થાણેમાં જનજાગૃતિ ફેલાવવા માટે રૅલી કાઢી હતી.
ગઈ કાલે પરેલની ગણેશ વર્કશૉપમાંથી જઈ રહેલી એક મનમોહક ગણેશમૂર્તિ. તસવીરો : સમીર માર્કન્ડે, દત્તા કુંભાર, નેહા પારેખ