૩૦૦૦૦ દીવડાઓની જ્યોતથી ગાંધીજીની પ્રતિકૃતિ
૩૦૦૦૦ દીવડાઓની જ્યોતથી ગાંધીજીની પ્રતિકૃતિ
ગાંધીનગર કલ્ચરલ ફોરમે ઊજવાતા નવરાત્રોત્સવમાં રવિવારે આઠમની રાતે મહાઆરતી યોજાઈ હતી, જેમાં ૩૦,૦૦૦ જેટલા દીવડાઓની ઝળહળતી જ્યોતથી મહાત્મા ગાંધજીની પ્રતિકૃતિ રચી હતી. લોકોએ હાથમાં દીવડા લઈને આદ્યશક્તિ અંબે માતાની મહાઆરતી ઉતારી ત્યારે વિશાળ મેદાનમાં એકસાથે ૩૦,૦૦૦ જેટલા દીવડાઓના ઝગમગાટથી અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.