Corona Virus:'ક્વૉરેન્ટાઇન્ડ'ના સ્ટેમ્પવાળા ચારને ટ્રેનમાંથી ઉતાર્યા
જર્મનીથી પાછા ફરેલાચાર જણાને આઇસોલેશનની સુચના હોવા છતાં મુસાફરી કરતા હોવાથી પાલઘર સ્ટેશન ઉતારી દેવાયા
બાન્દ્રા દિલ્હી સરાઇ રોહિલાની ગરીબ રથ ટ્રેઇનનાં કોચ G4-G5માં સફર કરી રહેલા ચાર મુસાફરોને પાલઘર સ્ટેશન પાસે ઉતારી દેવાયા હતા. સાથે સફર કરનારા બીજા મુસાફરોએ ટિકીટ ચેકરનું ધ્યાન દોર્યું હતું કે તેમના દરેકના હાથ પર ક્વોરેન્ટાઇન્ડનો સ્ટેમ્પ લાગેલો હતો. આ ચાર મુસાફરો જર્મનીથી આવ્યા હતા અને સુરત જઇ રહ્યા હતા. તેણને મેડિકલ અધિકારીઓને સોંપવામાં આવ્યા.
JUST IN! 4 passengers deboarded from Garib Rath train (Coach G4-G5) at Palghar station when passengers raised alarm & Ticket Examiners noticed 'Quarantine' stamp on their hands. They had flown from Germany & were headed to Surat. They were handed over to medical authorities. pic.twitter.com/o7mPUNuTpC
— Rajendra B. Aklekar (@rajtoday) March 18, 2020
ADVERTISEMENT
મિડ-ડે સાથેની વાતચીતમાં વેસ્ટર્ન રેલવેના અધિકારીએ કહ્યું કે, "ચાર મુસાફરોને કોચ જી-4 અને જી-5માંથી ઉતારી દેવાય હતા કારણકે સાથી મુસાફરોએ ટીટીનું ધ્યાન દોર્યું કે તેમના હાથ પર ક્વોરેન્ટાઇન્ડનો સિક્કો હતો. તેઓ જર્મનીથી આવ્યા હતા અને સુરત જઇ રહ્યા હતા. તેમને પાલઘરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા છે.