Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરના બિઝનેસમૅનના અપહરણ અને હત્યા બદલ ચારની ધરપકડ

ઘાટકોપરના બિઝનેસમૅનના અપહરણ અને હત્યા બદલ ચારની ધરપકડ

26 December, 2011 05:05 AM IST |

ઘાટકોપરના બિઝનેસમૅનના અપહરણ અને હત્યા બદલ ચારની ધરપકડ

ઘાટકોપરના બિઝનેસમૅનના અપહરણ અને હત્યા બદલ ચારની ધરપકડ



આશિષ બંસલ રાયગડમાં ફૅક્ટરી ધરાવતો હતો. ૧૩ ડિસેમ્બરે તેમનું અને તેમના ડ્રાઇવર નીલેશ રિકામેનું મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી અપહરણ થયું હતું.

આશિષ બંસલના પિતરાઈ અનિલ બંસલે કહ્યું હતું કે ‘અપહરણ બાદ બંસલે તેમના નાના ભાઈને ફોન કરીને તેની પાસે પ૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જ્યારે તેણે આની પાછળનું કારણ પૂછuું ત્યારે તેમણે પોતાનું અપહરણ થયું હોવાનું જણાવ્યા વિના માગણી ચાલુ રાખી હતી. એ જ રાત્રે બંસલને તેમના બે કર્મચારીઓ અને સંબંધીઓએ વાશીમાં ૪૧ લાખ રૂપિયા પહોંચાડ્યા હતા. ત્યાર બાદ આમિર ખાન, નુસરત અલી ખાન, આસિફ હુસેન અને રિઝવાન વાડિયા નામના ચાર આરોપીઓએ આશિષ બંસલને ઠાર કરીને લાશ ખાલાપુરમાં ફેંકી દીધી હતી.’

મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે રાતે ૧.૪૫ વાગ્યે ચારેય આરોપીઓને બેલાપુરમાં ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૧૩ લાઇવ રાઉન્ડ, એક મૅગેઝિન, આઠ મોબાઇલ ફોન, પાંચ સિમ-કાર્ડ, કેટલાંક ક્રેડિટ કાર્ડ્સ અને આઇ-કાર્ડ્સ જપ્ત કર્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2011 05:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK