Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીની તબિયત હજી ગંભીર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીની તબિયત હજી ગંભીર

13 August, 2020 09:02 AM IST | Mumbai
Agencies

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીની તબિયત હજી ગંભીર

પ્રણબ મુખરજી

પ્રણબ મુખરજી


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના મગજમાંથી ગાંઠ કાઢવાની સર્જરી બાદ હજી તેમની તબિયતની સ્થિતિ ગંભીર હોવાનું નવી દિલ્હીની આર્મી હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું. ૧૦ ઑગસ્ટે સર્જરી કર્યા બાદ તેઓ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ-વૅન્ટિલેટર પર હતા. હૉસ્પિટલનાં સૂત્રોએ પ્રણબ મુખરજી હેમોડાઇનેમિકલી સ્ટેબલ હોવાનું મેડિકલ બુલેટિનમાં જણાવ્યું હતું.
૮૪ વર્ષના પ્રણબ મુખરજીએ ગયા સોમવારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. ટ્વિટર પર મુકાયેલા એ સંદેશામાં પ્રણબ મુખરજીએ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને સેલ્ફ આઇસોલેટ થવા અને કોવિડ-19ની ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 09:02 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK