ગુવાહાટીમાં ફુટઓવર બ્રિજને વાંસથી એવો સુંદર સુશોભિત કરવામાં આવ્યો કે...
આસામના આરોગ્ય પ્રધાન હિમંત બિસ્વ સર્માએ ગુવાહાટીના ખાનાપરામાં વાંસ વડે શણગારેલા ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. વાંસની સજાવટવાળા દ્વાર પર ‘ગુવાહાટીમાં આપનું સ્વાગત છે’ એવા લખાણવાળું બૅનર પણ છે. આરોગ્ય પ્રધાને ખાનાપરાના એ બ્રિજ સાથે ગણેશગુડી અને કામાખ્યા ગેટ સ્થિત અન્ય બે ફુટ ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આસામમાં વાંસની મબલક ઊપજ, ઉપયોગિતા અને એના સૌંદર્ય-સમૃદ્ધિને ઉજાગર-પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી બ્રિજ પર વાંસની સજાવટ કરવામાં આવી છે. એને કારણે આ બ્રિજ લોકોમાં ઘણો આકર્ષણનું સ્થાન બન્યો છે.