Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભગવાનનાં દર્શન કરવા જઈ રહેલા પાંચ જણને ભગવાને બોલાવી લીધા

ભગવાનનાં દર્શન કરવા જઈ રહેલા પાંચ જણને ભગવાને બોલાવી લીધા

13 February, 2021 01:13 PM IST | Mumbai/Pune
Gujarati Mid Day Correspondent

ભગવાનનાં દર્શન કરવા જઈ રહેલા પાંચ જણને ભગવાને બોલાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં શુક્રવારે સવારે એસયુવી કાર એક સ્ટેશનરી ટ્રક સાથે અથડાતાં કારમાં સવાર ૧૧ વર્ષની બાળકી સહિત પાંચ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ૧૦ને ઈજા થઈ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પીડિતો સોલાપુરના પંઢરપુર જઈ રહ્યા હતા. આ અકસ્માત સવારે ૬ વાગ્યે સંગોલા-પંઢરપુર રોડ પરના કાસેગાંવ ગામ નજીક બન્યો હતો. એસયુવીમાં સવાર લોકો કોલ્હાપુરના ચાંદગડ તાલુકાના હતા. કુલ ૧૫ લોકો પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. એસયુવીના ડ્રાઇવરે કારની સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.



દુર્ઘટનામાં બે પુરુષો, બે સ્ત્રીઓ અને ૧૧ વર્ષની એક બાળકીનાં મૃત્યુ થયાં હતાં અને ૧૦ જણ ઘાયલ થયા હતા, જેમને પંઢરપુરની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ આદરી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 01:13 PM IST | Mumbai/Pune | Gujarati Mid Day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK