Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં આગ ભભૂકી : જાનહાનિ નહીં

ઘાટકોપરમાં આગ ભભૂકી : જાનહાનિ નહીં

18 December, 2019 01:13 PM IST | Mumbai Desk

ઘાટકોપરમાં આગ ભભૂકી : જાનહાનિ નહીં

ઘાટકોપરમાં આગ ભભૂકી : જાનહાનિ નહીં


ઘાટકોપર-ઈસ્ટમાં રાજાવાડી વિસ્તારમાં આવેલા શ્રીજી ટાવરના પાંચમા માળે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. સાંજે સાડાપાંચ વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. ફાયરબ્રિગેડનાં પાંચ એન્જિન અને પાંચ વૉટર ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગને ગણતરીના સમયમાં કાબૂમાં લીધી હતી. આગ જે ફ્લૅટમાં લાગી હતી એ ૫૦૧ નંબરમાં રહેતા ફ્લૅટધારક નીરજ વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આગ એસીમાં ગૅસનું ગળતર થવાને કારણે લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મારી પત્ની સપનાને આગ લાગી હોવાની જાણ થતાં જ તે તાબડતોબ નીચે ઊતરી ગઈ હતી, હું ઑફિસમાં હતો અને મારી દીકરી પણ બહાર ગઈ હતી, એટલે અમે બધા બચી ગયાં હતાં. આગ બેડરૂમમાં લાગી હતી અને આખો બેડરૂમ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આગની જ્વાળાને જોતાં ટાવરના રહેવાસીઓએ સાવચેતીનાં પગલાં રૂપે ઘર ખાલી કરી દીધાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2019 01:13 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK