Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > GST, ઈન્કમ ટૅક્સ રીર્ટન, પૅન-આધાર કાર્ડ લિંકિગની સમયમર્યાદા વધારાઈ

GST, ઈન્કમ ટૅક્સ રીર્ટન, પૅન-આધાર કાર્ડ લિંકિગની સમયમર્યાદા વધારાઈ

24 March, 2020 03:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

GST, ઈન્કમ ટૅક્સ રીર્ટન, પૅન-આધાર કાર્ડ લિંકિગની સમયમર્યાદા વધારાઈ

નાણા પ્રધાન નિર્મલા સિતારામન

નાણા પ્રધાન નિર્મલા સિતારામન


નાણા પ્રધાન નિર્મલા સિતારામને મંગળવારે ઈન્કમ ટૅક્સ અને જીએસટી સંબંધિત મુદાઓ પર અનેક રાહતોની ઘોષણા કરી છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટૅક્સ રીર્ટન ભરવાની તારીખ વધારીને 30 જુન 2020 કરવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન વિલંબિત ઈન્કમ ટૅક્સ પરનો વ્યાજદર 12 ટાકથી ઘટાડીને નવ ટકા કરવામાં આવ્યો છે. TDS જમા કરવાની સમય મર્યાદા નથી વધારી પરંતુ વ્યાજદર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કર્યો છે. સાથે જ કેન્દ્ર સરકારે જીએસટી ભરવાની, પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા પણ વધારી છે. તે સિવાય બેન્કના ગ્રાહકો માટે રાહત અપાઈ છે.

નીચેના મુદાઓ પર સરકારે આપી છે આ પ્રકારની રાહત...



- ત્રણ મહિના સુધી કોઈપણ એટીએમમાંથી પૈસા કઢાવવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાગે


- ત્રણ મહિના સુધી મિનિમમ બૅન્ક બેલેન્સ મેન્ટેન કરવામાંથી રાહત

- ડિજીટલ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં પણ ઘટાડો


- સરકારે પાંચ કરોડ રૂપિયાથી ઓછા ટર્નઑવર વાળા ઉદ્યોગપતિઓ માટે માર્ચ, એપ્રિલ અને મે મહિનાનું જીએસટી રીર્ટન તેમજ કંપોઝિશન રીર્ટન ભરવાની સમયમર્યાદા વધારીને 30 એપ્રિલ 2020 કરી છે

- પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા વધારીને 30 જુન 2020 કરી છે

- 'વિવાદથી વિશ્વાસ' યોજનાની સમયમર્યાધા વધારીને 30 જુન 2020 કરવાનો નિર્ણય

- 'સબકા વિશ્વાસ' યોજના સાથે જોડાયેલા વિવાદો પાર પાડવા માટે પહેલા 31 માર્ચ 2020 સુધીનો સમય હતો, હવે તેને 31 માર્ચ 2020 કરવામાં આવ્યો છે

- સરકારે બોર્ડ કંપનીઓને બે મહિના સુધી 60 દિવસનું રિલિફ આપવાનો નિર્ણય કર્યો છે

- કસ્ટમ ડયુટીના મુદાઓ પર પણ રાહત

- કંપનીઓના ડાયરેક્ટર્સને ભારતમાં પ્રવાસની સમયમર્યાદા પર પણ છુટ

- 30 એપ્રિલે મેચ્યોર થનારા ડિબેન્ચર્સની મર્યાદા વધારીને 30 જુન 2020 કરવામાં આવી

- કંપનીઓની ડિપોઝીટ રીઝર્વની શરતોમાં છુટ

- નવી કંપનીઓને બિઝનેસ શરૂ કરવામાં માટે છ માસનો વધુ સમય

- એક કરોડ રૂપિયાની ડિફોલ્ટ પરિસ્થિતિ હશે ત્યારે જ કંપનીને ઈન્સોલ્વન્સીનો સામનો કરવો પડશે

- મત્સ્યદ્યોગ ક્ષેત્ર માટે પણ અનેક રાહતો

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2020 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK