નવા કૃષિ કાયદાના વિરોધમાં વધુ સખતાઈ દાખવતાં આંદોલનકારી ખેડૂત સંગઠનોએ તેમની માગણીઓ ન સંતોષાય તો આગામી પ્રજાસત્તાક દિન-૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાની ચીમકી સરકારને આપી હતી. પ્રજાસત્તાક દિને રાજપથ પર બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન સમક્ષ સરકારી પરેડ યોજાયા પછી ખેડૂતો ટ્રેક્ટર્સની કતારોમાં કિસાન પરેડ યોજવાની તૈયારી ખેડૂત નેતા દર્શન પાલ સિંહે એક પત્રકાર પરિષદમાં દર્શાવી હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે મંત્રણાનો વધુ એક દોર સોમવાર, ૪ જાન્યુઆરીએ યોજાશે. એ મંત્રણા પૂર્વે ચીમકી આપવાનું આ પગલું મહત્ત્વપૂર્ણ મનાય છે. ખેડૂતોએ તેમની માગણીઓ બાબતે અનિશ્ચિતતાનો અંત લાવવા માટે આકરાં પગલાં લેવાની વિચારણા ગયા શુક્રવારે કરી હતી.
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTદિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી પર સુપ્રીમનું નિવેદન
19th January, 2021 14:16 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 IST