Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારનો રાજ્યપાલ પર નિશાનો, કંગનાને મળવા સમય છે ખેડૂતોને મળવા નહીં

શરદ પવારનો રાજ્યપાલ પર નિશાનો, કંગનાને મળવા સમય છે ખેડૂતોને મળવા નહીં

25 January, 2021 09:24 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શરદ પવારનો રાજ્યપાલ પર નિશાનો, કંગનાને મળવા સમય છે ખેડૂતોને મળવા નહીં

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાનો સાધતા કહ્યું કે કંગના રણોતને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો નહીં.

ખેડૂતોનું આંદોલન આજે સતત 61મા દિવસે દિલ્હીની સીમાઓ પર ચાલુ છે. આ દરમિયાન આજે ખેડૂતોના સમર્થનમાં મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોની રેલી થઈ. આ રેલીમાં પહોંચેલા એનસીપી પ્રમુખ શરદ પવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાનો સાધ્યો.



તેમણે કહ્યું કે, "મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવા રાજ્યપાલ નથી મળ્યા. ખેડૂતો આજે મુંબઇમાં છે પણ રાજ્યપાલ ગોવા ચલ્યા ગયા. રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો સમય નથી."


પવારે કહ્યું કે મુંબઇ શહેર દેશનો મહત્વનો શહેર છે આઝાદીની લડાઇમાં પણ મુંબઇની મુખ્ય ભૂમિકા હતી. આ લડાઇ સરળ નથી. જેમના હાથમાં સરકાર છે તેમને ખેડૂતોની કોઇ ચિંતા નથી. આટલા દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે પણ પીએમ મોદીએ અત્યાર સુધી ખેડૂતોના સમાચાર સુદ્ધાં નથી લીધા.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 09:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK