ખેડૂત આંદોલન: આજે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે
ફાઈલ તસવીર
કૃષિ કાયદાને લઈને કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે ૧૦.૪૫ કલાકે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે અન્ય કૉન્ગ્રેસી નેતાઓ પણ ભાગ લેશે. આ પછીથી રાહુલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી મુલાકાત કરશે અને છેલ્લા ૧ મહિનાથી દિલ્હીની બૉર્ડરો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવા બે કરોડ સિગ્નેચરયુક્ત મેમોરેન્ડમ રજૂ કરશે. કૉન્ગ્રેસ સાંસદ કે. સુરેશે આ બાબતની જાણકારી આપી છે.