Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના અને NCPના ટોચના નેતાઓની સિક્યૉરિટીમાં કાપ

કૉન્ગ્રેસના અને NCPના ટોચના નેતાઓની સિક્યૉરિટીમાં કાપ

30 December, 2014 05:45 AM IST |

કૉન્ગ્રેસના અને NCPના ટોચના નેતાઓની સિક્યૉરિટીમાં કાપ

કૉન્ગ્રેસના અને NCPના ટોચના નેતાઓની સિક્યૉરિટીમાં કાપ



મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ટોચના રાજકીય નેતાઓને આપવામાં આવતી સિક્યૉરિટીના પ્રમાણમાં ઘટાડો કર્યો છે. મોટા હોદ્દા પરની વ્યક્તિઓ પર જોખમનું પ્રમાણ જાણીને તેમને આપવા પાત્ર સિક્યૉરિટીની ભલામણ કરતી કમિટીએ કરેલાં સૂચનો પ્રમાણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અશોક ચવાણ, પૃથ્વીરાજ ચવાણ, નારાયણ રાણે તથા નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર, છગન ભુજબળ અને આર. આર. પાટીલ તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલને આપવામાં આવેલી ‘Z પ્લસ’ સુરક્ષા ઘટાડીને ‘Y’ અથવા ‘X’ કૅટેગરીની કરવામાં આવી છે. ‘Y’ કૅટેગરીની સલામતી વ્યવસ્થામાં ફ્કત બે સિક્યૉરિટી ઑફિસર્સ હોય છે.



 જોકે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે, યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે, કૉન્ગ્રેસના નેતા સુશીલકુમાર શિંદે અને RSSના વડા મોહન ભાગવતની સિક્યૉરિટી યથાવત્ રાખવામાં આવી છે. ફડણવીસે પોતે પોતાનું ‘Z પ્લસ’ સિક્યૉરિટી કવર હટાવવા પોલીસ-કમિશનર રાકેશ મારિયાને જણાવ્યું હતું.




Whatsapp-channel Whatsapp-channel

30 December, 2014 05:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK