Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત ૩ હસ્તીઓ ભારતરત્નથી સન્માનિત

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત ૩ હસ્તીઓ ભારતરત્નથી સન્માનિત

09 August, 2019 12:05 PM IST | નવી દિલ્હી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત ૩ હસ્તીઓ ભારતરત્નથી સન્માનિત

 પ્રણવ મુખરજી સહિત ૩ હસ્તીઓ ભારતરત્નથી સન્માનિત

પ્રણવ મુખરજી સહિત ૩ હસ્તીઓ ભારતરત્નથી સન્માનિત


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આજે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે પ્રણવ મુખરજી, સંગીતકાર અને ગાયક ભૂપેન હજારિકા, સામાજિક કાર્યકર નાનાજી દેશમુખને ભારતરત્ન એનાયત કર્યો છે. પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૨૫ જાન્યુઆરીએ ભારતરત્ન અવૉર્ડની ઘોષણા કરવામાં આવી હતી.
ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનતાં પહેલાં કૉન્ગ્રેસ પાર્ટીના મજબૂત નેતા હતા. તેમને કૉન્ગ્રેસની મુશ્કેલીનું નિવારણ કરનારા કહેવામાં આવતું હતુ. તેમણે અગાઉ નાણા મંત્રાલય અને અન્ય આર્થિક મંત્રાલયોમાં રાષ્ટ્રીય અને આંતરિક રીતે તેમના નેતૃત્વ પર વિચાર કર્યો છે. મુખરજીને વર્ષ ૧૯૯૭માં સર્વશ્રેષ્ઠ સંસદનો અવૉર્ડ પણ મળ્યો હતો.
ચાર વર્ષ બાદ ભારતરત્ન આપવામાં આવ્યો છે. આ પહેલાં ૨૦૧૫માં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને સ્વતંત્રતા સેનાની અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહન માલવિયને આ સન્માન મળ્યું હતું. આ પહેલાં ૪૫ હસ્તીઓને ભારતરત્ન મળી ચૂક્યો છે. હવે આ સંખ્યા ૪૮ થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 12:05 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK