Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૫ ડિસેમ્બરથી લોકલ ટ્રેનમાં બધાને એન્ટ્રી? અફવા છે અફવા...

૧૫ ડિસેમ્બરથી લોકલ ટ્રેનમાં બધાને એન્ટ્રી? અફવા છે અફવા...

05 December, 2020 07:32 AM IST | Mumbai
Rajendra B. Aklekar

૧૫ ડિસેમ્બરથી લોકલ ટ્રેનમાં બધાને એન્ટ્રી? અફવા છે અફવા...

૧૫ ડિસેમ્બરથી લોકલ ટ્રેનમાં બધાને એન્ટ્રી? અફવા છે અફવા...

૧૫ ડિસેમ્બરથી લોકલ ટ્રેનમાં બધાને એન્ટ્રી? અફવા છે અફવા...


શું ખરેખર લોકલ ટ્રેનો ૧૫ ડિસેમ્બરથી સામાન્ય જનતા માટે શરૂ થશે? અનામી સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર અને રેલવેના અધિકારીઓની આગામી મીટિંગ ૧૧ અને ૧૨ ડિસેમ્બરે યોજાશે, જેમાં ૧૫ ડિસેમ્બરથી ટ્રેનો શરૂ કરવા સંદર્ભે વિચારણા કરવામાં આવશે.
આ સંદર્ભે ગુરુવારે ૩ ડિસેમ્બરે રેલવેએ શહેરના નાગરિકોને આવી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન મૂકવા જણાવતાં કહ્યું હતું કે હાલમાં આવી કોઈ બાબત વિચારણા હેઠળ નથી. અમને જ્યારે પણ રાજ્ય સરકાર તરફથી સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેન શરૂ કરવા સંબંધે દરખાસ્ત મળશે ત્યારે અમે ભેગા મળીને સંયુક્તપણે નિર્ણય લઈશું તેમ જ રેલવે બોર્ડના આદેશ સાથે સંકલન કરીશું. જોકે હાલમાં પસંદગીની શ્રેણીના વર્ગના લોકો સિવાય સામાન્ય જનતા માટે ટ્રેનની મુસાફરી શરૂ કરવા માટે કોઈ તારીખ નિશ્ચિત કરવામાં આવી નથી એમ મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 07:32 AM IST | Mumbai | Rajendra B. Aklekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK