Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રચારમાં આક્ષેપબાજી વચ્ચે શશિ થરૂરે ભાજપના આ નેતાના વલણથી થયા ગદગદ

પ્રચારમાં આક્ષેપબાજી વચ્ચે શશિ થરૂરે ભાજપના આ નેતાના વલણથી થયા ગદગદ

16 April, 2019 02:47 PM IST | તિરુવનંતપુરમ્

પ્રચારમાં આક્ષેપબાજી વચ્ચે શશિ થરૂરે ભાજપના આ નેતાના વલણથી થયા ગદગદ

નિર્મલા સીથારમને શશિ થરૂર સાથે કરી મુલાકાત (Image Courtesy:Twitter)

નિર્મલા સીથારમને શશિ થરૂર સાથે કરી મુલાકાત (Image Courtesy:Twitter)


ચૂંટણીને કારણે પ્રચારનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર એટલો વધ્યો છે કે ચૂંટણી પંચે માયાવતી, યોગી આદિત્યનાથ અને મેનકા ગાંધી જેવા નેતાઓને ચૂંટણી સભા કરવા પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. નેતાઓના નિવેદનો અને કથળતી ભાષા સવાલો સર્જી રહ્યા છે, ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.




 

ઘટના કંઈક એવી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તિરુવનંતપુરથી ચૂંટણી લડી રહેલા શશિ થરૂરે ટ્વિટ કરીને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીથારમનને થેન્ક્યુ કહ્યું છે. જી હાં, પ્રચાર દરમિયાન ભલે ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજાને ભાંડતા હોય પરંતુ શશિ થરૂરે ટ્વિટ કરીને નિર્મલા સીથારમનનો આભાર માન્યો છે.


આ પણ વાંચોઃ છત્તીસગઢમાં છે રાફેલ નામે ગામ, હવે ગામવાળાઓ આ નામથી પરેશાન

સોમવારે પ્રચાર દરમિયાન શશિ થરૂર એક મંદિરમાં પૂજા કરી રહ્યા હતા, ત્યારે જ પડી જવાથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. શશિ થરૂરને થયેલી ઈજા એટલી ગંભીર છે કે તેમને માથામાં 6 ટાંકા લેવા પડ્યા. આ દુર્ઘટના બાદ શશિ થરૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીથારમન તેમના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.

નિર્મલા સીથારમનની આ પહેલને શશિ થરૂરે પણ વધાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 02:47 PM IST | તિરુવનંતપુરમ્

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK