Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી 2019: કોંગ્રેસેએ ગણાવ્યો ભાજપના મેનિફેસ્ટોને 'જુઠ કા ગુબ્બારા'

ચૂંટણી 2019: કોંગ્રેસેએ ગણાવ્યો ભાજપના મેનિફેસ્ટોને 'જુઠ કા ગુબ્બારા'

08 April, 2019 07:33 PM IST |

ચૂંટણી 2019: કોંગ્રેસેએ ગણાવ્યો ભાજપના મેનિફેસ્ટોને 'જુઠ કા ગુબ્બારા'

અહમદ પટેલે ભાજપના મેનિફેસ્ટોને ટાર્ગેટ કર્યો

અહમદ પટેલે ભાજપના મેનિફેસ્ટોને ટાર્ગેટ કર્યો


કોંગ્રેસે સોમવારે જાહેર કરાયેલા ભાજપના સંકલ્પ પત્રને જુઠ્ઠાણાનો ભરમાર ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે, ભાજપનું ઘોષણા પત્રમાં માત્ર હવામાં કરાયેલા વાયદા સમાન છે. ભાજપ ચૂંટણીઓમાં જે વાયદા કરે છે તે પૂરા કરી શકતી નથી અને તેમનું ઘોષણા પત્ર બાજુમાં રહી જાય છે. વડાપ્રધાન પોતાને ક્યારેક ચા વાળો તો ક્યારેક ચોકીદાર તો ક્યારેક ફકીર અને કામદાર કહીને લોકોને ભ્રમિત કરે છે.

અમારા મેનિફેસ્ટોના કવર પેજમાં લોકોનો સમુહ છે : કોંગ્રેસ



કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, ભાજપના ઘોષણા પત્ર અને કોંગ્રેસના ઘોષણા પત્ર વચ્ચે ફરક તેના કવર પેજ પરથી જ સાફ જોઈ શકાય છે. અમારા કવર પેજ પર લોકોનુ સમૂહ છે જ્યારે બીજેપીના સંકલ્પપત્ર પર માત્ર એક જ વ્યક્તિ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે ભાજપે મેનિફિસ્ટોની જગ્યાએ કરેલા વાયદા ન પૂરા કરવા બદલ માફીનામું જાહેર કરવુ જોઈએ.


અહમદ પટેલે ભાજપના મેનિફેસ્ટોને ટાર્ગેટ કર્યો

અહમદ પટેલે મેનિફેસ્ટોને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, 'ભાજપ જે વાયદા કરે છે તેને ક્યારેય નિભાવતી નથી. ભાજપે હિસાબ આપવો જોઈએ કે છેલ્લા 5 વર્ષોમાં બેરોજગારી, ખેડૂતો અને વ્યાપારીઓને લઈને કરેલા વાયદાઓનું શું થયું ? ભાજપે તેના સંક્લપ પત્રમાં જાહેર કરવું જોઈએ કે લોકોને રોજગાર અપાવવા માટે સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાઓ લેવા માટેની વિગત કેમ દર્શાવવામાં આવી નથી.'


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 07:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK