ભિવંડીમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ,8નાં મોત
ADVERTISEMENT
મુંબઈ,તા.27 ડિસેમ્બર
પોલીસે જણાવ્યુ હતુ કે આ ઘટનામાં ફાયરબ્રિગેડે ચાર વ્યકિતઓને બચાવી લીધી છે.જ્યારે આઠ લોકોના આગમાં હોમાઈ જવાથી મૃત્યુ થયા છે.ચાર કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.આગ કયા કારણોસર લાગી છે તે અંગેની જાણકારી હજી સુધી મળી શકી નથી.આ અંગે તપાસ ચાલુ છે.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ઼વામાં આવ્યાં છે.જેમાં એકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.