મંત્રાલય ફરતે ઊભી કરવામાં આવશે આઠ ફૂટ ઊંચી બુલેટપ્રૂફ દીવાલ
મંત્રાલયમાં ચાર વૉચટાવર પણ બનાવવામાં આવશે. મંત્રાલય ખાતે સુરક્ષા દીવાલ બનાવવાના અહેવાલ સાથે સંકળાયેલા પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર આ ઇમારત રોડ-ટચ હોવાને કારણે પણ સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી. બીજી તરફ ગૃહવિભાગના કેટલાક નિવૃત્ત અધિકારીઓ આ અહેવાલ તથા દીવાલના નિર્માણકાર્યને બિનજરૂરી તેમ જ પોતાના ઉપરી અધિકારીઓને ખુશ કરવાના તંરગી વિચાર સમાન ગણાવે છે.