વાવાઝોડા 'વાયુ'ના કારણે આટલી ટ્રેન પર થઈ છે અસર
'વાયુ'ની અસરઃ આટલી ટ્રેન પર થઈ છે અસર
ગુજરાત તરફ આવેલું વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. પરંતુ તેની અસર હજુ પણ વર્તાઈ રહી છે. વાયુના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન પણ છે. જેના કારણે ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર થયો છે.
અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસનો રૂટ ટુંકાવાયો
અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસ (ટ્રેન નંબર-19119)નો રૂટ ટુંકાવાયો છે. તે સુરેન્દ્રનગર સુધી જ જશે. જેથી 19120 ટ્રેન હવે સુરેન્દ્રનગરથી જ શરૂ થશે. અને તે સુરેન્દ્રનગર થી સોમનાથ નહીં જાય.
Train no 19119 Ahmedabad - Somnath Exp of 14/06 wil be short terminated at Surendranagar. Hence in reverse direction train no 19120 of 14/06 wil depart frm Surendranagar instd of Somnath & wil remain partially cncld btwn Somnath - Surendranagar. #VayuCyclone @drmadiwr @wrdrmrjt
— Western Railway (@WesternRly) June 14, 2019
ADVERTISEMENT
ભુજ-બરેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ભુજના બદલે પાલનપુરથી રવાના થશે. જેથીતે ભુજ-પાલનપુર નહીં જાય.
Train no 14322 Bhuj - Bareilly Express of today i.e. 14th Jaune,2019 will depart from Palanpur instead of Bhuj. This train will remain partially cancelled between Bhuj - Palanpur today. #VayuCyclone @drmadiwr
— Western Railway (@WesternRly) June 14, 2019
ઓખા ભાવનગર એક્સપ્રેસ
ટ્રેન નંબર 59208 ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.
Please note the cancellation of train no 59208 Okha - Bhavnagar passenger of today i.e. 14th June,2019 #VayuCyclone @wrdrmrjt @DRM_BVP
— Western Railway (@WesternRly) June 14, 2019
સુરક્ષાને ધ્યાનમાં લેતા નિર્ણય
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે ટ્રેકને પણ નુકસાન થયું છે. જે રીપેર થશે ત્યારે ટ્રેન વ્યવહાર પુરી રીતે પૂર્વવત થશે.
આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાથી ગુજરાત હવે સુરક્ષિત, નથી હવે કોઈ ખતરો: CM રુપાણી