મહારાષ્ટ્માં 12 કલાકમાં 3 વાર ભૂકંપના આંચકા, રાતે નાસિક તો સવારે મુંબઇ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં 12 કલાકની અંદર ત્રણ વાર ભૂકંપના આંચકા આવ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં રાતે 12 વાગ્યે બે વાર ભૂકંપના આંચકા બાદ ફરી એકવાર મુંબઈમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારની સવારે 6.36 વાગ્યે મુંબઇથી 98 કિલોમીટર દૂર ઉત્તરમાં ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી છે. આથી વધારે તીવ્રતા રાતે નાસિકમાં માપવામાં આવી હતી.
Earthquake of Magnitude:2.7, Occurred on 05-09-2020, 06:36:31 IST, Lat: 19.96 & Long: 72.83, Depth: 5 Km ,Location: 98km N of Mumbai, Maharashtra, India for more information https://t.co/exCZ4pApT0 pic.twitter.com/6E4mWxKbJr
— National Centre for Seismology (@NCS_Earthquake) September 5, 2020
ADVERTISEMENT
રાતે નાસિકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા. શુક્રવારે રાતે લગભગ 11.41 વાગ્યે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4 આંકવામાં આવી હતી. આની સાથે જ 5 સપ્ટેમ્બરના રાતે 12.05 પર 3.6 તીવ્રતાના ભૂકંપે નાસિકના લોકોને ગભરાવી દીધો. જો કે, આ ત્રણેય ભૂકંપના આંચકામાં જાનમાલના નુકસાનના સમાચાર નથી. આ માહિતી નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ આપી.
Earthquake of Magnitude:3.6, Occurred on 05-09-2020, 00:05:12 IST, Lat: 19.99 & Long: 72.88, Depth: 5 Km ,Location: 95km W of Nashik, Maharashtra, India for more information https://t.co/0bHDAVAQba pic.twitter.com/MQq7FO7bWa
— National Centre for Seismology (@NCS_Earthquake) September 4, 2020
નોંધનીય છે કે ગયા મહિને મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના ધીમા આંચકાનો અનુભવ થયો હતો, જેની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. જો કે, તે ભૂકંપમાં પણ કોઇ જાનહાનિ કે નુકસાન થયું નહોતું.
ભૂકંપ આવે તો શું કરવું જોઇએ?
ભૂકંપ દરમિયાન ઘર ઑફિસ કે કોઇપણ બિલ્ડિંગમાં તમે હાજર હો તો બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવી જવું. ભૂકંપ દરમિયાન ખુલ્લા મેદાન કરવા વધારે સુરક્ષિત જગ્યા અન્ય કોઇ નથી.
ભૂકંપ આવવાની સ્થિતિમાં કોઇપણ બિલ્ડિંગની આસપાસ ઉભા ન રહેવું. જો તમે કોઇ એવી બિલ્ડિંગમાં છો જ્યાં લિપ્ટ છે તો લિફ્ટનો ઉપયોગ ન કરો. આવી સ્થિતિમાં સીડીનો ઉપયોગ કરવો વધારે યોગ્ય રહેશે.
ભૂંકપ દરમિયાન ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. આ સિવાય વીજળીના સ્વિચ બંધ કરી દેવા. જો બિલ્ડિંગ ઉંચી હોય અને તરત ઉતરવું શક્ય ન હોય તો બિલ્ડિંગમાં રહેલા ટેબલ, કે બેડ નીચે છુપાઇ જવું. ભૂકંપ દરમિયાન લોકોએ આ વાતનું ધ્યાન રાખવું કે પૅનિક ન થવું અને કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવી, એવામાં સ્થિતિ વધારે બગડી શકે છે.